ભારતનો સાંસ્કૃતિક વારસો : શિલ્પ અને સ્થાપત્ય

મિત્રો આ આર્ટિકલ માં આપણે ભારતના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્ય ભાગ - 1 વિશે માહિતી મેળવીશું.



પહેલા તો આપણે શિલ્પ અને સ્થાપત્ય એટલે શું તેના વિશે માહિતી મેળવીશું.

શિલ્પકલા અને સ્થાપત્યનો અર્થ :- 

◆ શિલ્પકલા 

👉 કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર , લાકડું કે ધાતુને કંડારીને જે આકાર તૈયાર કરે તેને શિલ્પ કહેવામાં આવે છે. આમ, વિવિધ આકાર બનાવવાની કલાને શિલ્પકલા કહેવામાં આવે છે. 

◆ સ્થાપત્ય  

👉 મકાનો નગરો કૂવાઓ કિલ્લાઓ મિનારા, મંદિરો, મકાબરાઓ, સ્મારકો સ્થંભો વગેરેના બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે. 

પ્રાચીન ભારતના નગરોની વિશેષતા :- 

👉 શાસક અધિકારીઓ નો ગઢ ઊંચાઈ પર બાંધવામાં આવતો હતો. 

👉 અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવેલું છે. આ નગરમાંથી બે-પાંચ ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. 

👉 સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈટોના બનાવેલા છે. 


મોહે-જો-દડો ની નગર રચના :- 


👉 નદીના પુર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પીઠીકા પર બાંધતા.

👉 શ્રીમંતોના મકાનો બે માળના અને પાંચ-સાત ઓરડાવાળા હતા. 

👉 જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો એક માળના અને બે-ત્રણ ઓરડાવાળા હતા. 

👉 આખા નગરની ચારેબાજુ દીવાલ બાંધવામાં આવી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પાડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા.

👉 મકાનમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા પણ હતી. 


મોહે-જો-દડો ની નગરરચનામાં રસ્તાઓ અને ગટર યોજના :- 


◆ રસ્તાઓ 


👉 રસ્તાઓ 9.75 મીટર જેટલા પહોળા હતા. 



👉 નાના રસ્તાઓ મોટા રસ્તાઓને કાટખૂણે મળતા હતા. અને એકથી વધારે વાહનો પસાર થઈ શકે તેટલા તે પહોળા હતા. 

👉 રસ્તાઓની બાજુમાં ચોક્કસ અંતરે આવેલા એકસરખા ખાડા રાત્રી પ્રકાશ માટે વપરાતા થાંભલાઓ ના હોવાનું મનાય છે. 

👉 રાજમાર્ગો પહોળા અને સીધા હતા. તેમાં ક્યાંય વળાંકો આવતા ન હતા.
 
👉 બે મુખ્ય રાજમાર્ગો હતા. એક રાજમાર્ગ ઉત્તર થી દક્ષિણ તરફ અને બીજો રાજમાર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. બન્ને રાજમાર્ગો મધ્યમાં એકબીજાને કાટખૂણે છેદતા હતા.  


ગટર યોજના 


👉 મોહે-જો-દડો ની ગરટ યોજના એ હડપીય સંસ્કૃતિ ના નગર આયોજન ની આગવી વિશિષ્ટતા હતી. 



👉 પ્રાચીન સમયમાં આ ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા કીટ ટાપુ સિવાય બીજે ક્યાંય નહોતી. 

👉 નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. 

👉 મોહે-જો-દડોના દરેક મકાનમાં ખાળ કૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. 

👉 ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલે તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું.

👉 આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે. 

👉 ગટરોની આ સુંદર રચના શહેરના લોકોની આરોગ્ય સ્વચ્છતા જાળવવાનો ઉત્તમ નમૂનો છે. 


મોહે-જો-દડો ના જાહેર સ્નાનાગાર :- 


👉 હડપ્પીય સંસ્કૃતિ ના લોકોએ જાહેર સ્નાનાગાર બાંધેલા હતા. 

👉 સ્નાનાગારમાં સ્વચ્છ પાણી દાખલ કરવા માટેની અને ગંદા પાણીને બહાર કાઢવાની વ્યવસ્થા હતી.

👉 સ્નાનાગારમાં ગરમ પાણી ની વ્યવસ્થા હોવાનું મનાય છે. 

👉 સ્નાનાગારના ચારેબાજુ કપડાં બદલવા માટેની ઓરડીઓ છે. 

👉 ધાર્મિક પ્રસંગો અને ઉત્સવોએ લોકો સમૂહ સ્નાન કરી શકે એ આશયથી આવું સ્નાનાગાર બાંધવામાં આવ્યું હશે એમ મનાય છે. 


ભારતના સાંસ્કૃતિક વારસાની pdf Download
👇👇👇👇



Click Now

Post a Comment

0 Comments