જન્માષ્ટમી હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વનો તહેવાર છે. આ તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની આઠમની મધ્યરાત્રિએ મથુરાની જેલમાં થયો હતો. તેથી આ દિવસને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે.
શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેમણે પોતાના જીવન દ્વારા સત્ય, ધર્મ, પ્રેમ અને કર્તવ્યનો સંદેશ આપ્યો હતો. તેમણે અન્યાય અને અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી. બાળપણમાં શ્રીકૃષ્ણની અનેક લીલાઓ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓ માખણચોર તરીકે પણ જાણીતા હતા.
જન્માષ્ટમીના દિવસે લોકો વહેલી સવારથી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરે છે. મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવે છે. ભક્તો ઉપવાસ રાખે છે અને રાત્રે બાર વાગ્યે શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી કરે છે. મંદિરોમાં ભજન-કીર્તન, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
જન્માષ્ટમીની ઉજવણીમાં મટકી ફોડ કાર્યક્રમનું પણ વિશેષ મહત્વ છે. લોકો ટીમ બનાવીને ઊંચે બાંધેલી દહીંની મટકી ફોડે છે. બાળકો શ્રીકૃષ્ણ અને રાધાના વેશમાં સજ્જ થઈને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લે છે.
જન્માષ્ટમી આપણને પ્રેમ, સત્ય, નિર્ભયતા અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશોને જીવનમાં ઉતારવાથી આપણું જીવન વધુ સારું અને સુખમય બની શકે છે.
શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના મહાન અને લોકપ્રિય દેવતા છે. તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં કંસના કારાગૃહમાં ભાદરવા વદ આઠમની મધરાતે થયો હતો. તેમના માતા-પિતા દેવકી અને વસુદેવ હતાં.
નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી…..
હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલ કી……
જય રણછોડ, માખણ ચોર….
મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે……
શ્રીકૃષ્ણનું બાળપણ ગોકુળ અને વૃંદાવનમાં વીત્યું. તેમનો ઉછેર નંદબાબા અને યશોદામાતાએ કર્યો હતો. બાળપણથી જ શ્રીકૃષ્ણ ખૂબ જ ચંચળ, બુદ્ધિશાળી અને બહાદુર હતા. તેઓ ગોપાલ તરીકે ગાયો ચરાવતા અને પોતાના મિત્રો સાથે રમતા. માખણ ચોરી કરવાની તેમની બાળલીલાઓ ખૂબ પ્રસિદ્ધ છે.
શ્રીકૃષ્ણે પોતાના જીવનમાં અનેક રાક્ષસો અને દુષ્ટોનો નાશ કર્યો. તેમણે ગોકુળના લોકોને અનેક સંકટોમાંથી બચાવ્યા. કંસના અત્યાચારનો અંત લાવીને તેમણે મથુરાને મુક્ત કરાવી. ત્યારબાદ તેમણે ધર્મ અને ન્યાયની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી.
મહાભારતના સમયમાં શ્રીકૃષ્ણ પાંડવોના સારા મિત્ર અને માર્ગદર્શક બન્યા. કુરુક્ષેત્રના યુદ્ધમાં તેમણે અર્જુનના સારથિ તરીકે સેવા આપી. જ્યારે અર્જુન મૂંઝવણમાં પડ્યો ત્યારે શ્રીકૃષ્ણે તેને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. તેમણે કર્મ, ધર્મ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો.
શ્રીકૃષ્ણનું ચરિત્ર આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સત્ય અને ધર્મનો સાથ છોડવો જોઈએ નહીં. તેમણે પ્રેમ, મિત્રતા, કર્તવ્ય, બુદ્ધિ અને નિર્ભયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આથી શ્રીકૃષ્ણનું જીવન સમગ્ર માનવજાત માટે પ્રેરણાદાયક છે. તેમના ઉપદેશોને જીવનમાં ઉતારીને આપણે સારા અને આદર્શ જીવન તરફ આગળ વધી શકીએ.
જય દ્વારકાધીશ

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।