Vrudh Penshan Yojana 2023 : વૃદ્ધ પેંશન યોજના માટે અરજી કરો ઓનલાઈન

વૃદ્ધ પેંશન યોજના 2023 :- 

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગના લોકો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વૃદ્ધો માટે આવી એક યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેનું નામ છે - ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના અને નિરાધાર વૃદ્ધ પેંશન યોજના. 




Vrudha Penshan Yojana 2023 Details :- 

યોજનાનું નામ :- ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના

ઉંમર મર્યાદા :- 60 થી 79 વર્ષ

મળવાપાત્ર સહાય :- દર મહિને રૂ. 1000 /- થી રૂ. 1250 /-

સત્તાવાર વેબસાઈટ :- www.sje.gujarat.gov.in


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના 2023 લાભ મેળવવા માટેની લાયકાત  :- 

● આ યોજનાનો લાભ લેવા માંગતો લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ. 

● લાભાર્થી ની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. 

● લાભાર્થીની પાસે 0 - 16 આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ. 


વૃદ્ધ પેંશન યોજના માટે અરજી કરવાનું સ્થળ :- 


● પોતાના જિલ્લા / તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, અથવા ગ્રામ્ય કક્ષાએ  ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકો છો. વેબસાઈટ - www.digitalgujarat.gov.in/ 


અરજીપત્રક સાથે જોડવાના ડોક્યુમેન્ટ :- 

● શાળા છોડયાનું પ્રમાણપત્ર


આ પણ વાંચો 







● ગરીબી રેખા ની યાદીમાં પોતાનું નામ હોય તેવું પ્રમાણપત્ર

● બેંકની પાસબુક

● આધારકાર્ડ

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના હેઠળ મળવાપાત્ર લાભ :- 

● આ યોજના અંતર્ગત 60  થી 79 વર્ષના લાભાર્થીને રૂ. 1000 /- ની માસિક સહાય ચુકવવામાં આવે છે. 

● 80 વર્ષ કે તેથી વધુ વર્ષના લાભાર્થીને રૂ. 1250 /- ની માસિક સહાય ચુકવવામાં આવે છે. 


આ યોજનાની સહાયની ચુકવણી :- 


● આ યોજના અંતર્ગત મળતી સહાય DBT દ્વારા સીધા બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવે છે. 


આ યોજનાનું અરજીપત્રક ક્યાંથી મેળવી શકાય ;- 


● આ યોજનાનું અરજીપત્રક નીચે આપેલ વિવિધ જગ્યાએથી મેળવી શકાય છે. 

● જિલ્લા કલેકટર કચેરી
મામલતદાર કચેરીમાંથી આ યોજના નું અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકો છો. 

● ગ્રામ્ય કક્ષાએથી V.C.E. ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકો છો. 

● નીચે આપેલ લિંક પરથી અરજીપત્રક ડાઉનલોડ કરી શકો છો. 

● આ યોજનાની અરજી મંજુર / નામંજૂર કરવાની સત્તા મામલતદાર ને સોંપવામાં આવેલ છે. 


આ યોજનાની અરજી નામંજૂર થાય તો અરજી માટેની અપીલ :- 


● જો તમારી અરજી નામંજૂર થાય તો અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારી ને અરજી માટેની અપીલ કરવાની જોગવાઈ છે. 


ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ની સહાય ક્યારે બંધ થાય :- 


● લાભાર્થી નું નામ  0  થી  20  ની બી.પી.એલ. ની યાદીમાંથી દૂર થાય ત્યારેથી
● લાભાર્થી નું અવસાન થાય ત્યારથી


Important Link 



ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ફોર્મઅહી ક્લિક કરો
ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેંશન યોજના ઓફિશિયલ વેબસાઈટ અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો

Post a Comment

0 Comments