PMEGP Load Yojana 2024 : પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના , લૉન પર 35 ટકા સબસિડી

PMEGP Loan Yojana 2024 , પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના 2024 :- 


મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારત સરકાર દેશની તમામ બેરોજગાર યુવતીઓ ને સ્વરોજગાર શરૂ કરવા માટે કાર્ય કરી રહી છે. જે વ્યક્તિ ધોરણ 8 પાસ છે અને બેરોજગાર છે. તેમને રોજગાર શરૂ કરવા માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના શરૂ કરવામાં આવી છે.




 આ યોજના અંતર્ગત ધંધો કરનાર ને સરકાર દ્વારા લૉન આપવામાં આવે છે. આ લૉન લેનાર વ્યક્તિને સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. આ આર્ટિકલ માં આપણે PMEGP Loan yojana માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તેની વિગતવાર તમામ માહિતી મેળવીશું.  તો આ આર્ટિકલ છેક અંત સુધી વાંચવા વિનંતી.


પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના 2024 વિગતવાર માહિતી :- 







યોજનાનું નામ પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના 2024
યોજનાની શરૂઆત ભારત સરકાર દ્વારા
યોજનાનો લાભ 10 લાખ સુધીની લૉન અને લૉન પર સબસિડી
યોજનાના લાભાર્થી દેશમાં નવો વ્યવસાય શરૂ કરનાર વ્યક્તિઓ માટે
અરજીનો પ્રકાર online




પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના 2024 :- 



દેશમાં ઘણા લોકો એવા છે કે જેમને પોતાનો વ્યવસાય શરૂ કરવો છે પણ પોતાની પાસે પૈસાની સગવડ નથી તેવા વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લૉન આપવામાં આવે છે અને આ લૉન પર 25 થી 35 ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે. 



PMEGP Loan Yojana ના ફાયદા / લાભ :- 


  • આ યોજના દ્વારા નાના અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને રોજગારી આપવામાં આવશે. 

  • આ યોજના અંતર્ગત મળેલ લૉન પર ગ્રામ્ય વિસ્તાર માટે 35 ટકા અને શહેરી વિસ્તાર માટે 25 ટકા સુધી લૉન આપવામાં આવે છે. 
Read Also :-


  • આ યોજના અંતર્ગત વ્યક્તિને 2 લાખ થી 10 લાખ સુધીની લૉન આપવામાં આવે છે. 

  • આ યોજના અંતર્ગત લોન પર નિયમોનુસાર સબસિડી આપવામાં આવે છે. વિવિધ કેટેગરીના લોકો માટે અલગ અલગ સબસિડી આપવામાં આવશે.  

  • આ યોજનાનો લાભ દેશના યુવાનો અને ઉધોગપતિઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લઈ શકે છે. 



PMEGP Loan Yojana માટેની યોગ્યતા / પાત્રતા :- 


આ યોજનાનો લાભ લેવા માટે અમુક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જે નીચે પ્રમાણે છે. - 

  • આ યોજના માટે અરજી કરનાર અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. 

  • અરજદાર માટે બેઝ ઈન્ડસ્ટ્રી હોવી જોઈએ. 

  • આ યોજના દ્વારા વ્યવસાય માટે લેવામાં આવેલ જમીન પર બીજા કોઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં. 

  • અરજદાર નું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવું આવશ્યક છે. 



PMEGP Loan Yojana માટેના જરૂરી દસ્તાવેજો / Document :- 


આ યોજના માટે અરજી કરનાર અરજદાર પાસે નીચે મુજબ ના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. 

  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો
  • બેંક પાસબુક
  • માર્કશીટ 
  • પ્રોજેક્ટ રિપોર્ટ સારાંશ
  • અરજદારની માગેલ Basic Details



પ્રધાનમંત્રી રોજગાર સર્જન લૉન યોજના માટે અરજી કઈ રીતે કરવી તેની માહિતી :- 



  • આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે. 

  • તમે સત્તાવાર વેબસાઈટ પર જશો એટલે તમારી સામે એક ઓનલાઈન ફોર્મ ખુલશે. જે ફોર્મમાં માગેલ માહિતી દાખલ કરવાની રહેશે.
 
  • માગેલ તમામ માહિતી ભર્યા પછી તમારે ડેટાને Save કરવાનો રહેશે. ફૉર્મ ને સેવ કરશો એટલે તરત જ તમને ID અને Passward મોકલવામાં આવશે. જે તમારે સાચવીને રાખવાનો રહેશે. પછી તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે. 

  • ત્યારબાદ તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો, જાતિનો દાખલો, આધારકાર્ડ, જરૂરી લાયકાત ધરાવતા ડોક્યુમેન્ટ વગેરે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.  

  • તમે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે તમને જરૂરી માહિતી પૂછવામાં આવશે. તે તમારે ભરવાની રહેશે. 

  • માગેલ તમામ માહિતી ભર્યા પછી, EDP માહિતી ભર્યા પછી તમારે ફોર્મને સબમિટ કરવાનું રહેશે. 

  • આ રીતે તમે તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ કરીને ભરી શકો છો. 


Important Link (મહત્વપૂર્ણ લિંક) :- 



Hamepage Click Hare
Apply Now Click Hare

Post a Comment

0 Comments